ખેડા જિલ્લાના સુપ્રસિઘ્ધ યાત્રાધામ ડાકોર કે જ્યા રાજા રણછોડ બીરાજે છે. લોક વાયકા છે કે, કોઈ પણ જાત્રા કરો અને ત્યાર બાદ ડાકોરના ઠાકોરના દર્શન ના કરો ને તો જાત્રાનુ પુન (પુણ્ય) મળતુ નથી. એટલે સામાન્ય દિવસોમાં પણ ડાકોરમાં ભક્તોનો ઘસારો હોય છે. જોકે ભક્તોનું ઘોડાપુર તો માત્ર ફાગણી પુનમે જ જોવા મળે છે, જ્યાં ગુજરાતભરથી શ્રધ્ધાળુઓ ઠાકોરજીના દર્શન કરવા પગપાળા આવતા હોય છે. પરંતુ આજે પણ ડાકોરમા ફાગણી પૂનમ જેવો માહોલ જોવા મળ્યો. આજે ફાગણી પુનમ નહીં પરંતુ ગુરૂ પુર્ણીમા છે. અને ગુરુપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં ઉમટ્યુ હતું.
ડાકોરમાં ગુરુપૂર્ણિમાના અવસરે લોકોનું કીડિયારું જોઈ ચોંકી જશોઃ જુઓ Video
By -
જુલાઈ 04, 2023
0
