ઉમરેઠ તાલુકાના ખાનપુર પાસે આવેલા ખેરડા ગામમાં મહિસાગર નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. આમ ખેતરોમાં પાણી ઘુસી જતાં 5 લોકો ફસાઈ ગયા હતા. આ વાતની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક પાંચ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પાંચેય જણ ખેરડાગામના ખેતરમાં રહેતા હતા. આ બચાવ કામગીરી રાત્રે કરવામાં આવી હતી. પાંચમાંથી 3 મહિલાઓ અને 2 પુરૂષ હતા. જેમને સહીસલામત અન્ય સ્થળે ખસેડાયા છે.
ઉમરેઠના ખાનપુર પાસે પૂરના પાણીમાં ફસાયેલા 5 લોકોનુ કરાયુ રેસ્ક્યુ
By -
સપ્ટેમ્બર 18, 2023
0