ઉમરેઠના ખાનપુર પાસે પૂરના પાણીમાં ફસાયેલા 5 લોકોનુ કરાયુ રેસ્ક્યુ

Nilesh Solanki
By -
0

ઉમરેઠ તાલુકાના ખાનપુર પાસે આવેલા ખેરડા ગામમાં  મહિસાગર નદીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા હતા. આમ ખેતરોમાં પાણી ઘુસી જતાં 5 લોકો ફસાઈ ગયા હતા. આ વાતની જાણ આણંદ ફાયર બ્રિગેડની ટીમને થતા તાત્કાલિક પાંચ લોકોને રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પાંચેય જણ ખેરડાગામના ખેતરમાં રહેતા હતા. આ બચાવ કામગીરી રાત્રે કરવામાં આવી હતી. પાંચમાંથી 3 મહિલાઓ અને 2 પુરૂષ હતા. જેમને સહીસલામત અન્ય સ્થળે ખસેડાયા છે.


મળતી માહિતી મુજબ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે કડાણા ડેમમાથી 9લાખ 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્ંયુ છે. જે પાણી વમાકબોરી વીયરમાં આવતા વમાકબોરી ડેમ ભયજનક સપાટી પર પહોંચી ઓવરફ્લો થયો છે. આ કારણે આણંદ ખેડા જિલ્લાના ગામોમાં થઈ પસાર થતી મહિસાગર નદીમાં આ પુરના પાણી આવતા નદી કિનારાના આસપાસના વિસ્તારોમાં  પાણી ફરી વળ્યા છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)