Kheda : ઠાસરા શહેરમાં તોફાનીઓની મિલકતો પર બુલડોઝર ફેરવાશે

Nilesh Solanki
By -
0

 ઠાસરા તાલુકામાં શિવજીની શોભાયાત્રા ઉપર મુસ્લિમોઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મિલકતોની માપણી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગેરકાયદેસર મિલકતો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે. 

ઠાસરા નગરમાં નીકળેલી શિવજીની શોભાયાત્રા ઉપર કરેલા પથ્થરમારા બાદ હવે તેના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. ઠાસરા તાલુકા પ્રાંત અધિકારીએ નગરપાલિકાને મિલકતોની માપણી કરવાનો આદેશ જારી કર્યો છે. હંગામી દબાણોની માપણી કરવાના આદેશ બાદ હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરમાં  માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને માપણીના અંતે થોડા સમયમાં બુલડોઝર ફેરવી ગેરકાયદેસરના દબાણ દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે. યુપી પછી હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ફરશે તેવી ચર્ચા વચ્ચે હાલમાં પંથકમાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે.ઠાસરા  પાલિકાની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં માપણી કરવામાં આવી રહી છે અને આવતીકાલ સુધીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો (0)